When Is National Voter’s Day Celebrates In India?|રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024| રાષ્ટ્રીય મતદાતા દિવસ નિબંધ|રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્વિઝ

NATIONAL VOTER'S DAY-રાષ્ટ્રીય મતદાતા દિવસ

When Is National Voter's Day Celebrates In India?|રાષ્ટ્રીય મતદાતા દિવસ 2022| રાષ્ટ્રીય મતદાતા દિવસ નિબંધ|રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્વિઝ

NATIONAL VOTER’S DAY (રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી)

  • ભારતીય ચૂંટણી પંચ દ્વારા દર  વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે.
  • જેનો મુખ્ય હેતુ ભારતના તમામ નવા યુવા વૉટર્સ જે દર વર્ષે ઉમેરાય છે અને જે વૉટર્સ છે તેઓનામાં  ભારતીય લોકતંત્ર અને પરંપરાઓની ન્યાયી પ્રણાલીથી પરિચિત થાય તથા સાથે સાથે એક ભારતીય નાગરિક અને મતદાતા તરીકેના પોતાના હક અને ફરજો થી માહિતગાર થાય.
  • યુવા વૉટર્સ કોઇપણ જાતના પક્ષપાત વગર, નિર્ભય અને પ્રલોભન વગર  ચોક્કસ અને લાયક ઉમેદવારને મત આપે અને પોતાના એક મતની કિંમત તે સમજે તે ખૂબ જ જરૂરી છે.
  • તેવા ઉદ્દેશથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.
  • જેમાં શાળા કક્ષાએ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોના વિદ્યાર્થીઓ તેનું મહત્વ સમજે તે માટે “મતદારોની પ્રતિજ્ઞા” લે છે.
  • સાથ-સાથે તેનું મહત્વ સમજવા અને જ્ઞાનમાં વધારો કરવા ક્વિઝનું આયોજન પણ દરેક કક્ષાએ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે મતદારની પ્રતિજ્ઞા :

“અમે, ભારતીય નાગરિકો, લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ  છીએ  કે, અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું, તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થાય સિવાય મતદાન કરીશું”

મતદાર દિવસ ક્યારે આવે છે ?તે ક્યારથી શરૂ થયો ?

ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.  આ દિવસ ભારતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ છે.  આ દિવસે ભારતના દરેક નાગરિકે પોતાના રાષ્ટ્રની દરેક ચૂંટણીમાં ભાગ લેવાની શપથ લેવી જોઈએ, કારણ કે ભારતના દરેક વ્યક્તિનો મત તેના ભાવિ ભવિષ્યનો પાયો નાખે છે.  તેથી જ દરેક વ્યક્તિનો મત રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બને છે.

વર્ષ 2011 થી દરેક ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે, ભારત સરકારે ચૂંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવવાનું શરૂ કર્યું અને 2011 થી દર વર્ષે 25 જાન્યુઆરીએ, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસે, દેશમાં સરકારો અને ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે • જેથી કરીને દેશની રાજકીય પ્રક્રિયાઓમાં લોકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય.

ભારતના નાગરિકોને તેમના રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજની યાદ અપાવવા માટે દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  રાષ્ટ્રીય મતદાતા દિવસનું આયોજન લોકોને એ પણ જણાવે છે કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે.  મતદાન પ્રક્રિયામાં ભારતના દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે, કારણ કે સામાન્ય માણસ માત્ર એક મતથી સરકારો બદલાય છે.  આપણે બધા એક ક્ષણમાં એક સારા પ્રતિનિધિને પસંદ કરી શકીએ છીએ અને નકામા પ્રતિનિધિને પણ પસંદ કરી શકીએ છીએ, તેથી ભારતના દરેક નાગરિકે તેના મતનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને આવી સરકાર જે અમને વિકાસ અને પ્રગતિના માર્ગ પર લઈ જાય .

ભારતના 65 ટકા યુવા મતદારો

ભારતની 65 ટકા વસ્તી યુવાનોની બનેલી છે, તેથી યુવાનોએ દેશની દરેક ચૂંટણીમાં બને તેટલો ભાગ લેવો જોઈએ અને એવી સરકાર પસંદ કરવી જે કોમવાદ અને જાતિવાદથી ઉપર ઉઠીને દેશના વિકાસ માટે વિચારે .  જે દિવસે દેશનો યુવા વર્ગ જાગશે તે દિવસે દેશમાંથી જ્ઞાતિવાદ, ઉંચા-નીચ, સાંપ્રદાયિક ભેદભાવનો અંત આવશે.  આ ફક્ત આપણા બધાના મત આપવાથી જ થઈ શકે છે.

25મી જાન્યુઆરીએ ભારતના દરેક નાગરિકે લોકશાહીમાં વિશ્વાસ રાખીને શપથ લેવું જોઈએ કે તેઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ કરાવવાની દેશની લોકતાંત્રિક પરંપરાને જાળવી રાખશે અને દરેક ચૂંટણી ધર્મ, જાતિ, સમુદાયના આધારે પ્રભાવિત થશે અને નિર્ભયપણે મતદાન કરો.  દર વર્ષે 25 જાન્યુઆરીએ લાખો લોકો આવા શપથ લે છે.

પરંતુ હજુ પણ આ શપથનો ભાગ્યે જ અમલ થાય છે, કારણ કે આજે પણ લોકો સાંપ્રદાયિક, જાતિ અને ભાષાના આધારે મતદાન કરે છે.  આ કારણે દેશની સંસદ અને વિધાનસભાઓમાં પ્રતિનિધિઓ ચૂંટીને અનેક ગુનાહિત વૃત્તિઓના ભોગ બને છે . આ કારણથી જ ભારત ના પ્રત્યેક નાગરિકે સાંપ્રદાયિક અને જાતીય આધાર વગેરે ઉચ્ચ વિચાર રાખી એક યોગ્ય વ્યક્તિ ને પોતાનો મત આપે .

નાગરિકે સાંપ્રદાયિક અને જ્ઞાતિની રેખાઓથી ઉપર ઊઠીને સ્વચ્છ છબી ધરાવતી વ્યક્તિ માટે પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ.

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’નો ઉદ્દેશ્ય

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’નો ઉદ્દેશ્ય મતદાનમાં લોકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો તેમજ સારી સ્વચ્છ છબી ધરાવતા પ્રતિનિધિને પસંદ કરવા માટે મતદારોને મતદાન કરવા જાગૃત કરીને વિશ્વમાં આપણી લોકશાહીને એટલી મજબૂત બનાવવાનો છે.ભારત દેશની ચૂંટણી એ. પણ મહત્વનું યોગદાન છે.  આપણા ચૂંટણી પંચના કારણે જ દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય છે.

આજે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ના દિવસે દેશના દરેક મતદાતાએ તેમની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.

રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત 25 જાન્યુઆરી 2011થી કરવામાં આવી હતી.  ચૂંટણી પંચે 26 જાન્યુઆરી સ 1950ના રોજ કામ કરવાનું શરૂ કર્યું હતું.  રાષ્ટ્રીય મતદાતા દિવસ શરૂ કરવાનો હેતુ વધુ મતદારોને યાદીમાં ઉમેરવાનો, તેમને મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.

મતદારોના દિવસે શું થાય છે?

રાષ્ટ્રીય મતદાતા દિવસ મતદારોને સમર્પિત છે.  આ દિવસે મતદારોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે.  નવા મતદારોને તેમના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.  આ પ્રસંગે નવા મતદારોને મતદાર કાર્ડ આપી સન્માન પણ કરવામાં આવે છે.

ઉત્તમ કામ કરનારાઓનું સન્માન

રાષ્ટ્રીય ઉત્તમ કામ કરનારાઓનું સન્માન

રાષ્ટ્રીય મતદાતા દિવસ પર રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર અપાશે.  મતદાનને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓનું સન્માન કરવામાં આવશે.  કોવિડ-19 કટોકટીમાં મતદાન દરમિયાન નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપનારા, સલામતીના પગલાં લેનારા, મતદારોને જાગૃત કરનારાઓને પણ સન્માનિત કરવામાં આવશે.

વેબ રેડિયો ‘હેલો વોટર્સ’ શરૂ

આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસે, ઈ-વોટર કાર્ડ લોન્ચ કરવામાં આવશે.  જ્યારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વેબ રેડિયો ‘હેલો વોટર્સ’ પણ લોન્ચ કરશે.  આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.  એફએમ રેડિયો સેવાની તર્જ પર વેબ રેડિયો પરથી કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.  મતદાન સંબંધિત માહિતી દર્શકોને પૂરી પાડવામાં આવશે

SVEEP દ્વારા પ્રયાસો:

લોકસભા ચૂંટણી, 2019 દરમિયાન જાગૃતિ પહેલ: આ પુસ્તક વર્ષ 2019માં યોજાયેલી 17મી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓ, નવીનતાઓ અને પહેલો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે.  તે લિંગ, જાતિ, સંપ્રદાય અને ધર્મના અવરોધોને પાર કરીને દેશભરમાં ઉજવાતા લોકશાહીના સૌથી મોટા તહેવારની ભાવનાનું દસ્તાવેજીકરણ કરે છે.

ચાલો વોટ કરીએ:

આ એક કોમિક બુક છે જેનો હેતુ મતદાર શિક્ષણને મનોરંજક અને પ્રેરણાદાયક બનાવવાનો છે.  યુવાનો અને ભાવિ મતદારોને ટાર્ગેટ કરીને, મતદારોને નિર્વાણ પ્રક્રિયાઓ વિશે મોટા પ્રમાણમાં (1) શિક્ષિત કરવા માટે રસપ્રદ અને સંબંધિત પાત્રોને આ હાસ્ય પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી ક્વિઝ માટે ના પ્રશ્નો :

  1. મતદાર તરીકે નોંધણી કારવાં માટે કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? –  18 વર્ષ
  2. મતદાર ફોટો ઓળખપત્ર મેળવવા માટેની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ?18 વર્ષ
  3. લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી ઓ સામાન્ય ચૂંટણીઓ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે ? – 5 વર્ષે
  4. લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવા માટે જે તે વિસ્તારની મતદાર યાદી માં નામ હોવું જરૂરી છે કે મતદાર ઓળખપત્રથી મતદાન કરી શકાય ?-મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.
  5. ભારતમાં રહેતા હોય પરંતુ ભારતના નાગરિક ન હોય તેવા લોકોને ચૂંટણી લડવાનો અધિકાર મળે છે ? –  ના
  6. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન કરવામાં આવે તે રાજ્યતંત્ર નો પ્રકાર જણાવો. –લોકશાહી
  7. આપણાં દેશની લોકશાહીનું સ્વરૂપ કયું છે ?-સંસદીય લોકશાહી
  8. દેશના બંધારણીય વડા કોણ હોય છે ?-રાષ્ટ્રપતિ
  9. ભારતમાં આવેલ દરેક રાજ્યના બંધારણીય વડા કોણ છે ?-રાજ્યપાલ
  10. આપની પાસે છેલ્લા 15 વર્ષથી મતદાર ફોટો ઓળખપત્ર છે ,તો શું આપ માણી લેશો કે આપનું નામ મતદાર યાદી માં હશે ?-ના
  11. ગુજરાત વિધાનસભા ભવનનું નામ જણાવો. – વિઠ્ઠલભાઈ પટેલ ભવન
  12. ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ? – 182
  13. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે ? – 11
  14. દેશની સંસદનું ઉપલું ગૃહ કયું છે ? –રાજ્યસભા
  15. દેશની સંસદ નું નીચલું ગૃહ કયું છે ? –લોકસભા
  16. દેશમાં લોકસભાની કૂલ બેઠકો કેટલી છે ? – 545
  17. ગુજરાત રાજ્યમાં લોકસભાની કૂલ કેટલી કૂલ કેટલી બેઠકો છે ? – 26
  18. લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યને શું કહે છે? – સંસદ સભ્ય
  19. રાજ્યસભામાં સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?- 250
  20. રાજ્યસભાના કેટલા સભ્યોની પસંદગી ચૂંટણી દ્વરા કરવામાં છે? –238
  21. ગુજરાતમાં વસતા નાગરિકને ગુજરાતની નાગરિકતા અને ભારતની નાગરિકતા એમ બેવડી નાગરિકતા મળી શકે ?- ના
  22. ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ છે ? – ના
  23. વિધાનસભાએ ધારાસભાનું ઉપલું ગૃહ કે નીચલુ ગૃહ છે ?- નીચલું ગૃહ
  24. વિધાન સભ્ય (ધારાસભ્ય ) થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે ? – 25 વર્ષ
  25. રાજ્યપાલ કોના પ્રતિનિધિ તરીકે કામ કરે છે ? – રાષ્ટ્રપતિના
  26. ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાના ધારાસભ્યની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઇ શકે ?અને ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? – વધુમાં વધુ 500 ઓછામાં ઓછી 60
  27. પંચાયતીરાજમાં ચૂંટણી લડવા માટેની લઘુતમ વયમર્યાદા કેટલી રાખવામાં આવેલઈ છે? –21 વર્ષ
  28. લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુતમ વયમર્યાદા કેટલી છે ? – 25 વર્ષ
  29. ભારતના રાષ્ટ્રપતિ થવા માટે ની લઘુતમ વયમર્યાદા કેટલી છે ? – 35 વર્ષ
  30. આપણાં દેશના બંધારણની શરૂઆત કયા શબ્દોથી થાય છે ? – આમુખ
  31. રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ?- 12
  32. રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ કોણ બને છે ? – ઉપરાષ્ટ્રપતિ
  33. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?- શ્રી સુશીલ ચંદ્ર 
  34. ભારતનું ચૂંટણીપંચ જેટલા સભ્યોનું બનેલું છે ? – ત્રણ
  35. મતદાન મથક પર મતદાન કરવા જાઓ ત્યારે ખબર પડે છે કે તમારા નામે અન્ય કોઈએ મત આપી દીધો છે તો શું કરશો ? –સુપ્રત મતપત્ર (Tender  Vote)
  36. રાષ્ટ્રીય મતદાતા દિવસકયારે ઉજવાય છે ? – 25 જાન્યુઆરી
  37. તમાર માતા-પિતા એ મતદાન કર્યું છે તે જાણવા માટે કયા હાથની કૈ આંગળી પરના અવિલોપ્ય શાહીના તપકાના નિશાનથી ખાતરી થશે ? –ડાબા હાથની પહેલી આંગળીના નખ અને ચામડી પર
  38. ભારતના ચૂંટણીપંચ ની સ્થાપના કયારે થઈ ? –25 જાન્યુઆરી 1950
  39. ઇ. વી. એમ. એટલે શું ? – ઇલેકટ્રોનીક વોટિંગ મશીન
  40. રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વહીવટી વડા કોણ હોય છે ? – મુખ્યમંત્રી
  41. કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળના વહીવટી વડા કોણ હોય છે ? – વડાપ્રધાન
  42. ઉપરાષ્ટ્રપતિ થવા માટે લઘુતમ વયમર્યાદા કેટલી છે ?- 35 વર્ષ
  43. શું ભારતનું ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ ની કામગીરી એક પ્રકારની છે ?- હા
  44. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોણ યોજે છે ? – રાજ્ય ચૂંટણી પંચ
  45. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે ?- 50%
  46. મતદાનના દિવસે મતદારોએ મતદાન કરવા માટે ક્યાં જવું પડે ? – તેમના વિસ્તારના મતદાન મથકે
  47. મતદાર ફોટો ઓળખકાર્ડની વિગતોમાં નામ ભૂલ હોય તો તેમાં સુધારો કરવા માટે કયું ફોર્મ ભરવું પડે? – ફોર્મ નંબર : 8
  48. પ્રથમ વાર મતદાર તરીકે નોંધણી કરવા માટે કયું ફોર્મ ભરવાનું હોય છે ? – ફોર્મ નંબર : 6
  49. મતદારી યાદીમાંથી નામ કમી કરવા માટે કયું ફોર્મ ભરવું પડે છે ? – ફોર્મ નંબર : 7
  50. હોદ્દાની રૂએ રાજ્યના દરેક જિલ્લાના જિલ્લ ચૂંટણી અધિકારી કોણ હોય છે ? – જિલ્લા કલેકટર
  51. ભારતના ચૂંટણી પંચની વેબસાઇટનું નામ શું છે ? – eci.nic.in
  52. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ની વેબસાઇટનું એડ્રેસ જણાવો. – ceo.gujarat.gov.in
  53. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન કયા અધિકારી આપના ઘરની મુલાકાત લઈને મતદારોની વિગતોની ચકાસણી કરે છે ? – બુથ લેવલ ઓફીસર
  54. કોઈ મતદાર મતદાન કરવા ઈચ્છે પરંતુ કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતો નથી તો તે સંજોગોમાં તે ઇ. વી. એમ. માં કયું બટન દબાવશે ? – NOTA
  55. ચૂંટણીઓ દરમિયાન આચારસંહિતા ક્યારે શરૂ થાય છે ? અને ક્યારે પૂર્ણ થાય છે ? – ચૂંટણીની જાહેરાત થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી
  56. લોકસભાની ચૂંટણી માટેના ચૂંટણી લડતા ઉમેદવારને લગતી વિગતો જેમકે, તેમનો ઇતિહાસ, નાણાકીય સ્થિતિ વગેરેની જાણકારી કેવી રીતે મેળવી શકાય ? – ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલ સોગંદનામાને આધારે
  57. ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંચાલનની કાયદાકીય ફરજ કોની છે ? – રાજ્ય ચૂંટણી પંચ
  58. લોકસભાની બેઠકોની ચૂંટણીઓના સંચાલનની કોના દ્વારા કરવામાં આવે છે ? – ભારતનું ચૂંટણી પંચ
  59. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની કચેરી ક્યાં શહેરમાં આવલી છે ? – ગાંધીનગર
  60. ભારતમાં ચૂંટણી પંચ ની કચેરી ક્યાં આવેલી છે ? – નવી દિલ્હી
  61. કોઈ પુખ્ત નાગરિક શારીરિક અશક્તતા ધરાવતો હોય તો તે મતદાન કઇ રીતે કરશે ?- પોતાના પુખ્ત ઉંમરના સહાયકની મદદ થી  
  62. મતદાર યાદી બાબતમાં પૂછપરછ માટે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમ્યાન ક્યાં ટોલ ફ્રી નંબર પર ફોન કરશો ?- 1950
  63. મતદાનના દિવાના ત્રણથી ચાર દિવસ પહેલા સંબંધિત બઇથ લેવલ અધિકારી તેના હસ્તકના /ભાગના મતદારોને શેનું વિતરણ કરે છે ? – જે ચૂંટણીના દિવસે ઓળખપત્ર તરીકે વપરાય છે ? – ફોટાવાળી મતદાર સ્લીપ
  64. એક મતદારનું નામ કોઈ એક મતદારયાદીમાં ચાલે છે અને તે અન્ય વિસ્તારમાં રહેવા જતાં ત્યાંની મતદારયાદીમાં પણ નામ દાખલ કરાવે છે શું આ કાયદાકીય રીતે યોગ્ય છે ? – ના
  65. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ ઉમેદવાર મતદારોને લાંચ આપે, દારુ વિતરણ કરે કે રોકડ રકમ વહેચી મતદારોને પ્રભાવિત કરે તો તે અંગે ક્યાં ફરિયાદ કરશો ?- જિલ્લા ચૂંટણી ફરિયાદ સેલના ફોન નંબર પર અથવા 1950 નંબર પર
  66. એક મહિલા મતદાનમથક પર મતદાન કરવા જાય છે અને તેણીનું છ માસનું બાળક તેની સાથે છે તો તેણેએ બાળકને લઈને મતકુટિરમાં પ્રવેશ કરી શકે ? – હા
  67. મતદાનમથક પર મતદારોની લાંબી કતાર હોય તો તે સંજોગો માં મહિલાઓ માટે શું ખાસ સુવિધા હોય છે ? – પ્રત્યેક 1 પુરુષ પછી 20 મહિલા મતદાર
  68. આપનું નામ મતદાર યાદીમાં હોય પરંતુ આપની પાસે મતદાર ફોટો ઓળખપત્ર ન હોય તો મતદાનના દિવસે મત આપી શકાય ? – હા
  69. ક્યાં રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ બેઠકો છે ?- ઉત્તરપ્રદેશ
  70. ક્યાં રાજ્યમાં વિધાન સભાની સૌથી ઓછી બેઠકો છે ? –સિક્કિમ
  71. ભારતની સંસદ કૂલ કેટલા ગૃહોની બનેલી છે ?- બે
  72. મતદાનમથક માં કોણ કોણ પ્રવેશી શકે ? – મતદાર, ચૂંટણી ફરજ પરના અધિકારી, મતદાન એજન્ટ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ
  73. ભારતનું ન્યાયતંત્ર કોના તાબામાં છે ?-  ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે.
  74. નગરપાલિકાઓ ની ચૂંટણીઓ નું સંચાલન અને આયોજન કોના દ્વારા થાય છે ?-રાજ્ય ચૂંટણી પંચ
  75. અંધ વ્યક્તિ પોતાનો મત કેવી રીતે આપી શકે ?-બેલેટ યુનિટ પરના બ્રેઇલ લિપિમાં કંડારેલા ક્રમ નંબર ને આધારે
  76. ભારતના ચૂંટણી પંચના પ્રથમ આયુક્ત કોણ હતા ?-શ્રી સુકુમાર સેન
  77. ભારતના ચૂંટણી પંચ ના આયુક્તની નિમણૂક કોણ કરે છે ? – ભારતના રાષ્ટ્રપતિ
  78. સરકાર કયા પક્ષની બને છે ? –બહુમતી બેઠકો ધરાવતા રાજકીય પક્ષની
  79. રાજ્યના મંત્રીમંડળ ની નિમણૂક કોણ કરે છે ? –રાજ્યપાલ
  80. વિધાનસભ્યને એકૂલ બેઠકો પૈકી કોઈ બેઠક ઉમેદવારના મૃત્યુ અથવા અન્ય કારણોસર ખાલી પડે છે તે સંજોગોમાં શું કાર્યવાહી કરવામાં આવે છે ? – પેટા ચૂંટણી દ્વારા
  81. હાલમાં રાજ્યની વિધાનસભામાં સભ્ય તરીકે ચાલુ હોય તેવા ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે ?- હા
  82. હાલમાં રાજ્યની વિધાનસભામાં અભય તરીકે ચાલુ હોય તેવા ઉમેદવાર લોકસભાની ચૂંટણી માં વિજયી બને તો તે સંજોગોમાં બંને જગ્યાએ ચાલુ રહી શકે ? –ના એક બેઠક પરથી રાજીનામું આપવું પડે.
  83. મતદાન કરવા માટે ઇવીએમ માં કેટ્લા બટન દબાવવાના હોય છે ?-  લોકસભા/વિધાનસભાની ચૂંટણી માં એક બટન જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં એક કરતાં વધારે બટન
  84. હાલમાં નેશનલ આઈકોન કોણ છે ? – એમ. સેમ ધોની , આમીરખાન , મેરી કોમ, સાઇના નહેવાલ
  85. હાલમાં ગુજરાત રાજ્યના સ્ટેટ આઈકોન કોણ છે ? -. અંકિતા રૈના, ચેતેશ્વર પૂજારા, ધ્વનિત ઠાકરે,પારૂલ પરમાર, ગણેશ મુહૂદકર ,પાયલ રાઠવા, દક્ષ પટેલ, કિરણ પરમાર, વિશ્વા મોહીની ભટ્ટ , હર્ષિલ શાહ,વિપસી કસાદ 
  86. કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? –26 મી નવેમ્બર
  87. ઉમેદવાર દ્વારા પોતાની તરફેણમાં મત આપવા માટે કેવા પ્રકારની અનૈતિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે ? – રોકડ રકમની વહેચણી, ભેટ સોગાદો, જુદા જુદા પ્રકારની લાલચો , ધાક-ધમકી,મદ્યપાન  વગેરે

NATIONAL VOTER'S DAY QUIZ

  • રાષ્ટ્રીય મતદાતા દિવસની  ની ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો . 
  • બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરશો.
0%
150 votes, 3.1 avg
1275

National Voter's Day

NATIONAL VOTER'S DAY

રાષ્ટ્રીય મતદાતા દિવસ માટે મતદાર જાગૃતિ ક્વિઝ

1 / 20

રાજ્યના મંત્રીમંડળ ની નિમણૂક કોણ કરે છે ?

2 / 20

ભારતના ચૂંટણી પંચ ના આયુક્તની નિમણૂક કોણ કરે છે ?

3 / 20

વર્તમાન વિયેતનામ  દેશમાં નીચે પૈકીનું કયું રાજ્ય આવેલું હતું ?

4 / 20

મતદાનમથક પર મતદારોની લાંબી કતાર હોય તો તે સંજોગો માં મહિલાઓ માટે શું ખાસ સુવિધા હોય છે ?

5 / 20

આપનું નામ મતદાર યાદીમાં હોય પરંતુ આપની પાસે મતદાર ફોટો ઓળખપત્ર ન હોય તો મતદાનના દિવસે મત આપી શકાય ?

6 / 20

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની કચેરી ક્યાં શહેરમાં આવલી છે ?

7 / 20

ભારતમાં ચૂંટણી પંચ ની કચેરી ક્યાં આવેલી  છે ?

8 / 20

1.    સરકાર કયા પક્ષની બને છે ? 

 

 

9 / 20

ભારતની સંસદ કૂલ કેટલા ગૃહોની બનેલી છે ?

10 / 20

એક મતદારનું નામ કોઈ એક મતદારયાદીમાં ચાલે છે અને તે અન્ય વિસ્તારમાં રહેવા જતાં ત્યાંની મતદારયાદીમાં પણ નામ દાખલ કરાવે છે શું આ કાયદાકીય રીતે યોગ્ય છે ?

11 / 20

ક્યાં રાજ્યમાં વિધાન સભાની સૌથી ઓછી બેઠકો છે ?

12 / 20

અંધ વ્યક્તિ પોતાનો મત કેવી રીતે આપી શકે ?

13 / 20

કોઈ પુખ્ત નાગરિક શારીરિક અશક્તતા ધરાવતો હોય તો તે મતદાન કઇ રીતે કરશે ?

14 / 20

ભારતનું ન્યાયતંત્ર કોના તાબામાં છે ?

15 / 20

લોકસભાની બેઠકોની  ચૂંટણીઓના સંચાલનની કોના દ્વારા કરવામાં આવે છે ?

16 / 20

એક મહિલા મતદાનમથક પર મતદાન કરવા જાય છે અને તેણીનું છ માસનું બાળક તેની સાથે છે તો તેણેએ બાળકને લઈને મતકુટિરમાં પ્રવેશ કરી શકે ?

17 / 20

ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંચાલનની કાયદાકીય ફરજ કોની છે ?

18 / 20

લોકસભાની ચૂંટણી માટેના ચૂંટણી લડતા ઉમેદવારને લગતી વિગતો જેમકે, તેમનો ઇતિહાસ, નાણાકીય સ્થિતિ વગેરેની જાણકારી કેવી રીતે મેળવી શકાય ?

19 / 20

મતદાનમથક માં કોણ કોણ પ્રવેશી શકે ?

20 / 20

ક્યાં રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ બેઠકો છે ?

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

FAQS: Frequently Asked Questions

  • ભારતીય ચૂંટણી પંચ દ્વારા દર  વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે.

વર્ષ 2011 થી દરેક ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે, ભારત સરકારે ચૂંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવવાનું શરૂ કર્યું

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’નો ઉદ્દેશ્ય મતદાનમાં લોકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો તેમજ સારી સ્વચ્છ છબી ધરાવતા પ્રતિનિધિને પસંદ કરવા માટે મતદારોને મતદાન કરવા જાગૃત કરીને વિશ્વમાં આપણી લોકશાહીને એટલી મજબૂત બનાવવાનો છે

રાષ્ટ્રીય મતદાતા દિવસ મતદારોને સમર્પિત છે.  આ દિવસે મતદારોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે.  નવા મતદારોને તેમના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.  આ પ્રસંગે નવા મતદારોને મતદાર કાર્ડ આપી સન્માન પણ કરવામાં આવે છે.

16 thoughts on “When Is National Voter’s Day Celebrates In India?|રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024| રાષ્ટ્રીય મતદાતા દિવસ નિબંધ|રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.