ગાંધી નિર્વાણ દિવસ 

BY FREESTUDYGUJARAT.IN

ગાંધીજી વિષે જાણો અને તે વિષે વિગતે વાંચો  સાથે તે અનુરૂપ ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો.

૩૦મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિને હાર્દિક શ્રદ્ધાંજલિ

૩૦મી  જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતિનો -શહીદીનો દિવસ.

આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.

આ સત્ય અને અહિંસાના પુજારી ,એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી વ્યક્તિ લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !

૩૦મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિને હાર્દિક શ્રદ્ધાંજલિ

દુનિયાના કરોડો લોકોએ આ ૭૮ વર્ષના ફકીરની વિદાયથી આંસુ ભરી શોકાંજલિ અર્પી હતી.

ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું અનેક લેખકો દ્વારા લખાયું છે અને લખાતું રહેશે .એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક  છે.

”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી

મહાત્મા હોવા અંગે ગાંધીજીના વિચારો

શહીદ દિવસ માટે 

શહીદ દિવસ માટે ગૃહ મંત્રાલય તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને ઓર્ડર ઓફ Martyrs Day કહેવામાં આવ્યું છે.

જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…

– ૧૯૪૮ - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી.

ગાંધીજીની હત્યા કોણે કરી હતી ?

૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો.

ગાંધીજી વિષે જાણો અને તે વિષે વિગતે વાંચવા નીચે કિલક કરો  સાથે તે અનુરૂપ ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો.