3. ગુજરાતના વૈજ્ઞાનિકો-BEST SCIENTIST FROM GUJARAT.

Table of Contents

ગુજરાતના વૈજ્ઞાનિકો:

પ્રસ્તાવના :આપણી રોજિંદા જીવનની પ્રક્રિયાઓમાં દરેક જગ્યાએ વિજ્ઞાન વણાયેલું છે. કોઈપણ વ્યક્તિ એક પણ દિવસ વિજ્ઞાન સિવાયનો કલ્પી જ ન શકે! આપણાં જીવનને સગવડભર્યું બનાવવા વિજ્ઞાને જે ઉપકરણો આપ્યાં છે, તે ન હોય તો શું થાય ? કલ્પના કરી જુઓ. ખરેખર આપણે એ કલ્પના પણ નથી કરી શકતા. આપણે આપણાં સવારથી લઈને રાત્રે સૂઈ જઈ ત્યાં સુધીના તમામ ક્રિયાઓમાં વિજ્ઞાન સામેલ છે.

પુસ્તકો થકી વિજ્ઞાનની સ્ંકલ્પનાઑ , સિધ્ધાંતોશીખવા આપણે  વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગો  કરતાં રહેવું જોઈએ. વિજ્ઞાન વિષય માત્ર વાંચનનો વિષય નથી પણ અનુભનો વિષય છે. વિજ્ઞાન શીખતી અને સમજતી વખતે આપણાં મનમાં ઘણા નવા પ્રશ્નો, કલ્પનાઓ અને વિચારો પણ પ્રગટ થવા જોઈએ. અને એ પ્રગટ થયેલા વિચારો અને કલ્પનાઓ ના ઉત્તરો મેળવવા વિજ્ઞાન આધારિત પુસ્તકો કે લેખો અને એ સિવાય પણ ઉપલબ્ધ સાહિત્યોનો ઉપયોગ કરી દુનિયામાં ડોકિયું કરવું ખૂબ જરૂરી છે.

આપણે આ લેખમાં વિજ્ઞાન વિષયક એવી વિગતો મેળવવાના છીએ જે જેના થકી વિજ્ઞાનણી વિવિધ સ્ંક્લ્પનાઑ અને તે ઉપરાંતણી વિજ્ઞાન વિષયક વિગતોને શીખવા અને સમજવા ખૂબ મદદરૂપ થશે.

આપણને થાય કે આપણાં ગુજરાતમાં પણ વૈજ્ઞાનિક થયા હશે ને ? તો મિત્રો ગુજરાતમાં પણ કેટલા ખ્યાતનામ વૈજ્ઞાનિકો થયા છે તેમના વિષે આજે વાત કરીશું, તો જાણીએ ગુજરાતના વૈજ્ઞાનિકો વિષે.

DR Homi Bhabha-best scientist of Gujarat
DR Homi Bhabha-best scientist of Gujarat

ગુજરાતના વૈજ્ઞાનિકો

  1. ડૉ.હોમી ભાભા (30 ઓક્ટોબર, 1909 – 24 જાન્યુઆરી, 1966

  ડૉ. હોમી ભાભા પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. ડૉ. હોમી જહાંગીર ભાભાનો જન્મ મુંબઇ (મૂળ નવસારી)માં વસતા એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે.

હોમી ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કૅમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધનકાર્ય કરી શક્યા નહીં અને તેમને ભારત પાછા આવવું પડ્યું.

અહીં , તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોર ખાતે સી.વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી (1939).

જે.આર.ડી. ટાટાની મદદ વડે તેમણે મુંબઇમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ભારત સ્વતંત્ર થતાં પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. 1948માં તેમણે એટોમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી.

તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા 1955માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા. તેમનું મૃત્યુ 1966માં મોન્ટ બ્લેન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું. ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના ડૉ. હોમી ભાભા ના માનમાં રાખવામાં આવ્યું છે.

DR.VIKRAM SARABHAI
DR.VIKRAM SARABHAI

ગુજરાતના વૈજ્ઞાનિકો 

2.ડૉ. વિક્રમ સારાભાઈ (12 ઑગસ્ટ 1919 – 30 ડિસેમ્બર, 1971)

ડૉ. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે.

1941 થી 1946 દરમિયાન નૉબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે અભ્યાસ કર્યો. તેમની સોલર ફિઝિક્સ અને કૉસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા,

અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી – પી.આર,એલ.) ની 1947માં સ્થાપના પણ તેમની મદદથી થઇ.

અમદાવાદની જાણીતી આઇ.આઈ.એમ. અને એ ન. આ ઇ .ડી. સંસ્થાઓ તેમણે સ્થાપી હતી . ડૉ . હોમી ભાભાના અવસાન પછી ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (એટોમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યું.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું હતું કે તેમના માટે ડૉ.સારાભાઈ સાથે કામ કરવું એક સદ્નસીબની વાત હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.

ભારતના પ્રથમ રોકેટ લોંચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ, સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થિરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની પસંદગી કરવામાં આવી. તેને પસંદ કરવાનું મુખ્ય કારણ તે વિષુવવૃત્તથી નજીક છે. તેમની ખૂબ જ જહેમત બાદ 21 નવેમ્બર, 1963ના રોજ ભારતનું પ્રથમ રૉકેટ ઉડાવવામાં આવ્યું.

યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે જુલાઇ, 1975-1976 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો. 52 વર્ષની ઉંમરે 30 ડિસેમ્બર, 1971ના રોજ નિંદ્રામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

 

ગુજરાતના વૈજ્ઞાનિકો 

3.ડૉ. પ્રસુન દેસાઈ

ડૉ. પ્રસુન દેસાઈ નાસા ખાતે હાલ એક વરિષ્ઠ ઈજનેર તરીકે સેવા આપે છે.

દેસાઈને વિવિધ નાસા મિશન પર પોતાના કામ બદલ સંખ્યાબંધ પુરસ્કારો મળ્યા છે. તેમને માર્સ એક્સપ્લોરેશન રોવર મિશન પર તેમના યોગદાન બદલ 2004માં નાસાનો અપવાદરૂપ ઍન્જિનિયરિંગ ઍચિવમેન્ટ મૅડલ પ્રાપ્ત થયો છે .

ત્યારબાદ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍરોનોટિક્સ ઍન્ડ ઍસ્ટ્રોનોટિક્સ દ્વારા નેશનલ ઍન્જિનિયર ઑફ ધ યર ઍવૉર્ડ 2005 માં એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, તેઓને અન્ય ત્રણ ઍવૉર્ડ તથા 10 થી વધુ ગ્રુપ સિદ્ધિ ઍવૉર્ડ મળ્યા છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.