MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ December 28, 2022 by FreeStudyGuajarat.in MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ Table of Contents Toggle MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટMOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST - 1 આપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ?EDUCATIONAL PSYCHOLOGY QUIZ MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટMOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટMOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 47 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST - 1 0% 5 votes, 3.8 avg 117 MOCK TEST : 1 MOCK TEST : 1 નીચે START બટન પર કિલક કરી ટેસ્ટ આપો. 1 / 47 પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? શબ્દકોશ શિક્ષક નિદર્શની સામયિકો સંદર્ભ ગ્રંથો જવાબ : પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શિક્ષક નિદર્શની મદદરૂપ બનશે. જવાબ : પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શિક્ષક નિદર્શની મદદરૂપ બનશે. 2 / 47 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે ? (વર્ષ : 2018 મુજબ ) ધોરણ -2 ધોરણ -3 ધોરણ -5 ધોરણ -4 જવાબ : 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક ધોરણ-3 ના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે. જવાબ : 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક ધોરણ-3 ના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે. 3 / 47 વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક... સુધારેલ શબ્દોને પાટિયામાં લખે. જ્યાં સુધી વિદ્યાર્થીઓએ ભૂલ કરતાં રહે ત્યાં સુધી તેમને કઠિન કાર્ય સોંપવું. ખોટા શબ્દો પર છેકો મારી સાચા શબ્દો લખે. લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. જવાબ : વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક...લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. જવાબ : વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક...લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. 4 / 47 અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ? નિબંધ લેખન વિચાર વિસ્તાર શ્રુતલેખન અનુલેખન જવાબ : અક્ષર સુધારણા માટે અનુલેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ. જવાબ : અક્ષર સુધારણા માટે અનુલેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ. 5 / 47 કયા પ્રકારની માનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે? લખવાની વિકૃતિ ADHD ડિસ્લેક્સિયા ઓટીઝમ જવાબ : ઓટીઝમ પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે. જવાબ : ઓટીઝમ પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે. 6 / 47 બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે ? ગિલ્ફર્ડ વેક્સલર હાવર્ડ ગાર્ડનર સ્ટેનફર્ડ બિને જવાબ : બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત હાવર્ડ ગાર્ડનર મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જવાબ : બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત હાવર્ડ ગાર્ડનર મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. 7 / 47 નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? તર્કયુક્ત પ્રશ્નોનાં ઉત્તર આપવા સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા કહેવતોના અર્થ આપવા ક્રમશ્રેણી પૂર્ણ કરવી. જવાબ : સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી. જવાબ : સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી. 8 / 47 ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી ? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પ્રાથમિક કક્ષા ચિત્રકામ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા જવાબ : ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી. જવાબ : ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી. 9 / 47 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન નીચેનામાંથી કોનું છે? રૂસો એરિસ્ટોટલ પેસ્ટોલોજી ફોબેલ જવાબ : 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન એરિસ્ટોટલનું છે. જવાબ : 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન એરિસ્ટોટલનું છે. 10 / 47 નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ? વિચારોની ક્રમબધ્ધતા ચકાસી શકાય છે. અધ્યેતાઓની સર્જનશીલતા ચકાસી શકાય છે. ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. અધ્યેતાઓની મૌલિકતા વિકસે છે. જવાબ : નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી આ વિધાન સાચું નથી. જવાબ : નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી આ વિધાન સાચું નથી. 11 / 47 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે? અભિવ્યક્તિ સર્જનાત્મકતા વ્યાવહારિક ઉપયોજન અર્થગ્રહણ જવાબ : 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ અર્થગ્રહણ હેતુ આધારિત છે. જવાબ : 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ અર્થગ્રહણ હેતુ આધારિત છે. 12 / 47 સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક કેટલો હોય છે ? 110 થી 119 70 થી 109 70 થી નીચે 70 થી 79 જવાબ : સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક 70 થી 79 હોય છે. જવાબ : સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક 70 થી 79 હોય છે. 13 / 47 પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે ? બિલાડી ઘંટડી લાળસ્ત્રાવ ખોરાક જવાબ : પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે. જવાબ : પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે. 14 / 47 સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી કઈ બાબત છે ? કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવો. અનુલેખન કરવું. ચિત્રવાર્તા પૂર્ણ કરવી. આપેલ શીર્ષક પરથી નિબંધ લખવો. જવાબ : સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી અનુલેખન કરવું તે બાબત છે. જવાબ : સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી અનુલેખન કરવું તે બાબત છે. 15 / 47 ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે ? અભિવ્યક્તિ સર્જનાત્મકતા તાર્કિક ચિંતન અર્થ-ગ્રહણ જવાબ : ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થ-ગ્રહણ છે. જવાબ : ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થ-ગ્રહણ છે. 16 / 47 નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? પરિપક્વતા આબોહવા વારસો ઉત્પ્રેરણા જવાબ : નીચેનામાંથી આબોહવા પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. જવાબ : નીચેનામાંથી આબોહવા પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. 17 / 47 વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે ? નવા શબ્દો જોડવાની કલા વિરામચિહનોનો ખ્યાલ વિચારોની ક્રમિકતા બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર જવાબ : વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત વિરામચિહનોનો ખ્યાલ છે. જવાબ : વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત વિરામચિહનોનો ખ્યાલ છે. 18 / 47 સમાજિક અધ્ધયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? બી.એફ. સ્કીનર ઉપર પૈકી કોઈ નહી. આલ્બર્ટ બાન્દુરા વોલ્ટર એસ. હન્ટર જવાબ : સામાજિક અધ્ધયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાન્દુરા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જવાબ : સામાજિક અધ્ધયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાન્દુરા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. 19 / 47 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન કોનું છે ? સાર્થ ગુજરાતી જોડણી કોશ બિને અને સાયમન જે.પી. દાસ વેક્સલર જવાબ : 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન સાર્થ ગુજરાતી જોડણી કોશનું છે. જવાબ : 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન સાર્થ ગુજરાતી જોડણી કોશનું છે. 20 / 47 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન કોનું છે ? ગિજુભાઈ બધેકા એરિસ્ટોટલ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર જવાબ : 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન ગિજુભાઈ બધેકાનું છે. જવાબ : 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન ગિજુભાઈ બધેકાનું છે. 21 / 47 લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે?? વિગમન-વિગમન સંઘર્ષ ઉપરના તમામ અભિગમન- વિગમન સંઘર્ષ અભિગમન-અભિમન સંઘર્ષ જવાબ : લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ અભિગમન- વિગમન સંઘર્ષ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. જવાબ : લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ અભિગમન- વિગમન સંઘર્ષ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. 22 / 47 નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પેસ્ટોલોજી રૂસો તારાબેન મોડક ગીજુભાઈ બધેકા જવાબ : નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે. જવાબ : નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે. 23 / 47 નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી ? રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું સમાન ગુણવત્તાવાળું શિક્ષણ રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું 10+2+3 નું શિક્ષણ માળખું જવાબ : નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી . જવાબ : નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી . 24 / 47 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો ? બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ. બાળકને તેના હાલ પર છોડી દઇશ. બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. બાળકને માતા-પિતાને જાણ કરીશ. જવાબ : 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે હું બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. જવાબ : 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે હું બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. 25 / 47 બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ? બાળકને થોડાક સમય માટે એકલું છોડી દઇશ. બાળકની અવગણના કરીશ. બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. બાળકને કઠોર શિક્ષા કરીશ. જવાબ : બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે હું બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. જવાબ : બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે હું બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. 26 / 47 વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે? પાઠયપુસ્તક ઉચ્ચાર ધ્વનિ વિરામ ચિહન ચાર્ટ ચેકલીસ્ટ જવાબ : વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન ચેકલીસ્ટ છે. જવાબ : વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન ચેકલીસ્ટ છે. 27 / 47 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે ... રચનાત્મક મૂલ્યાંકન પત્રક શાલાંત પ્રમાણપત્ર વ્યક્તિત્વ વિકાસપત્રક સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક જવાબ : શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક. જવાબ : શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક. 28 / 47 સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત કઈ છે ? કાળા પાટિયા પર લખવું. લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું. તેજસ્વી વિદ્યાર્થીની મદદથી લેખન કરાવવું. સારા વિષયની પસંદગી કરવી. જવાબ : સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું છે. જવાબ : સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું છે. 29 / 47 વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ... અનુબંધ પધ્ધતિ આગમન પધ્ધતિ ચિઠ્ઠી દ્વારા શિક્ષણ નિગમન પધ્ધતિ જવાબ : વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ...ચિઠ્ઠી દ્વારા શિક્ષણ જવાબ : વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ...ચિઠ્ઠી દ્વારા શિક્ષણ 30 / 47 શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે ....... અભ્યાસક્રમ અધ્યયન નિષ્પત્તિક્રમ આપેલ પૈકી એક પણ નહી. પાઠયક્રમ જવાબ : શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ. જવાબ : શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ. 31 / 47 કવિતા એ ____________ છે . હૃદયની કળા કાનની કળા મનની કળા શબ્દની કળા જવાબ : કવિતા એ કાનની કળા છે . જવાબ : કવિતા એ કાનની કળા છે . 32 / 47 NCERT નું વડુમથક ક્યાં આવેલું છે ? ગાંધીનગર નવી દિલ્હી ભોપાલ મુંબઈ જવાબ : NCERT નું વડુમથક નવી દિલ્હી આવેલું છે. જવાબ : NCERT નું વડુમથક નવી દિલ્હી આવેલું છે. 33 / 47 ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુમાં નીચે જણાવેલ પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? શબ્દચિત્ર બનાવે અને વાક્ય લખે. પત્રલેખન કરે સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે. કોયડા ચિત્ર જોડી તેનું વર્ણન લખે. જવાબ : ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુ સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે તે બાબતનો સમાવેશ થતો નથી. જવાબ : ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુ સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે તે બાબતનો સમાવેશ થતો નથી. 34 / 47 અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે ? શારીરિક જરૂરિયાત સ્વ-આવિષ્કરણની જરૂરિયાત આત્મગૌરવની જરૂરિયાત સલામતી જરૂરિયાત જવાબ : અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે આત્મગૌરવની જરૂરિયાત આવે છે. જવાબ : અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે આત્મગૌરવની જરૂરિયાત આવે છે. 35 / 47 માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં કોને આપી હતી ? ડવાઈટ એલન એલન અને ઇવ બુશ ડો. કુલકર્ણી જવાબ : માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં એલન અને ઇવએ આપી હતી. જવાબ : માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં એલન અને ઇવએ આપી હતી. 36 / 47 મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી કેટલી સહજવૃતિઑ દર્શાવી છે ? 15 28 20 18 જવાબ : મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે 18 સહજવૃતિઑ દર્શાવી છે. જવાબ : મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે 18 સહજવૃતિઑ દર્શાવી છે. 37 / 47 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ કયો છે ? અનુભવ, સંકલન, ચિંતન, ઉપયોજન સંકલન , અનુભવ, ચિંતન, ઉપયોજન ચિંતન, અનુભવ, સંકલન , ઉપયોજન અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન જવાબ : 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન છે . જવાબ : 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન છે . 38 / 47 કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ? શાળામાંથી નામ કાઢી નાખીશ. તેને લક્ષમાં લઇશ નહી. વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. વાલીને ધમકાવીશ. જવાબ : કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે હું વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. જવાબ : કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે હું વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. 39 / 47 ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ...... મુખ વાચન સમૂહ વાચન ઉપરોક્ત તમામ મૂકવાચન જવાબ : ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ......મૂકવાચન જવાબ : ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ......મૂકવાચન 40 / 47 સમાવેશી શિક્ષણ એટલે ..... એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટે અલગ શિક્ષણ વ્યવસ્થા. એક જ શાળા પરિસરમાં અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. જવાબ : સમાવેશી શિક્ષણ એટલે .....એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. જવાબ : સમાવેશી શિક્ષણ એટલે .....એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. 41 / 47 વિદ્યાર્થીઓ માં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય ? મુક્ત શિસ્ત દમનયુક્ત શિસ્ત સ્વયંશિસ્ત પ્રભાવાત્મક શિસ્ત જવાબ : વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે દમનયુક્ત શિસ્તને જવાબદાર ગણાવી શકાય. જવાબ : વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે દમનયુક્ત શિસ્તને જવાબદાર ગણાવી શકાય. 42 / 47 કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ચારિત્ર્ય ઘડતર સર્વાંગી વિકાસ જ્ઞાન પ્રાપ્તિ જવાબ : કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી. જવાબ : કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી. 43 / 47 કયો સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ? આત્મકથા જીવન ચરિત્ર યાત્રા વર્ણન એકાંકી જવાબ : એકાંકી સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ. જવાબ : એકાંકી સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ. 44 / 47 પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? સંદેશો પ્રેષક પ્રતિપોષણ સંકેતીકરણ જવાબ : પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક પ્રેષક છે. જવાબ : પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક પ્રેષક છે. 45 / 47 ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારાજૂથનો પરિચય કરાવી શકાય ? એક પણ નહી શર્મિષ્ઠા તારાજૂથ સપ્તર્ષિ તારાજૂથ મૃગ તારાજૂથ જવાબ : ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને સપ્તર્ષિ તારાજૂથનો પરિચય કરાવી શકાય. જવાબ : ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને સપ્તર્ષિ તારાજૂથનો પરિચય કરાવી શકાય. 46 / 47 ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? ઊર્ધ્વીકરણ તાદાત્મય પ્રક્ષેપણ ક્ષતિપૂર્તિ જવાબ : ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ તાદાત્મય બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. જવાબ : ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ તાદાત્મય બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. 47 / 47 GIET ના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે ? શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગના સચિવ શિક્ષણ નિયામક જિલ્લા શિક્ષણાધિકારી જવાબ : GIET ના ચેરમેન તરીકે શિક્ષણ વિભાગના સચિવ ફરજ બજાવે છે. જવાબ : GIET ના ચેરમેન તરીકે શિક્ષણ વિભાગના સચિવ ફરજ બજાવે છે. Your score is The average score is 15% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">