6.The Living Organisms And Their Surroundings:સજીવો અને તેમની આસપાસ

The living organisms and their surroundings.

સજીવોમાં અનુકૂલન એટલે શું?

  • ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો (ટેવ) કે લક્ષણોને અનુક્લન (Adaptation) કહે છે.
  • વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતાં હોય, તેને તેનું નિવાસસ્થાન (Habitat) કહે છે.

નિવાસ્થાનના પ્રકાર કેટલા અને કયા ક્યા?

  • નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે ઃ (1) ભૂ-નિવાસ (2) જલીય નિવાસસ્થાન
  • ભૂ-નિવાસમાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે.
  • જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, કળણ (દલદલ) વગેરેનો સમાવેશ થાય છે.

નિવાસસ્થાનના ઘટકોના પ્રકાર :જૈવિક અને અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? 

  • જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે.
  • અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે.
  • અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યનાં છે.
the living organisms and their surroundings
the living organisms and their surroundings

The living organisms and their surroundings.

રણવાસી પ્રાણીઓ: અને વનસ્પતિના અનુકૂલન:

  • ઊંટ, સાપ,ઉંદર જેવા રણવાસી પ્રાણીઓ અનુફૂલન સાઘી રણમાં રહી શકે છે.
  • રણમાં ઊગતી થોર જેવી વનસ્પતિ ઓછાં અને નાનાં પર્ણો, પર્ણોનું કંટકમાં રૂપાંતર, ઊંડાં મૂળ વગેરે અનુકૂલનો મેળવી રણપ્રદેશમાં ટકી શકે છે.

પર્વતીય વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિના અનુકૂલન

  • પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી અને પાંદડાં સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફ ને સરળતાથી નીચે સરવા દે છે.
  • પર્વતીય વિસ્તારમાં રહેતા હિમ ચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રુંવાટી હોવાથી ઠંડીથી તેનો બચાવ થાય છે.
  • ઘાસના મેદાનના વિસ્તારોમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે દોડવાની ઝડપ મહત્ત્વની બને છે.

જલીય વનસ્પતિ અને પ્રાણીઓના અનુકૂલન: 

  •  જલીય નિવાસસ્થાનોમાં વસતા પ્રાણીઓને પોતાની જાતને પાણીમાં રહી જીવન ટકાવી રાખવું મહત્ત્વનું છે.
  • જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડાં જતાં નથી. પર્ણો મોટાં, પણ પર ચીકણો સાવ થાય, પોલો પર્ણદંડ વગેરે જેવા લક્ષણોથી અનુકૂલિત હોય છે.
  • સજીવો શ્વસન કરે છે, ખોરાક લે છે, હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે,પ્રજનન કરે છે, પ્રતિચાર દર્શાવે છે, જેવા લક્ષણો ધરાવે છે.
  • ઉત્તેજના (Stimulus) :

  • આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે.

  • ઉત્સર્જન (Excretion] :

  • સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.

  • પ્રજનન (Reproduction) :

  • સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે.

  •  વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે, પરંતુ બીજ વિના પણ પ્રજનન થતું જોવા મળે છે.

To know more about The living organisms and their surroundings keep visiting site. 

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.